03/08/2024
લોકો હવે શહેરની બહારના વિસ્તારોમાં ઘર લેવાનું પસંદ કરી રહ્યા છે : પ્રદીપ વિઠ્ઠલપરા
👉 આ વિસ્તારો શાંતિ, સુખ અને હરિયાળીથી ભરપૂર છે
👉 આગામી સમયમાં કાલાવાડ રોડ અને અવધ રોડ જેવા વિસ્તારોમાં ફ્લેટ અને બંગલાની માંગમાં વધારો થશે તેવો રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટર પ્રદીપ વિઠ્ઠલપરાનો મત
👉 નવા રાજકોટના ઘણા વિસ્તારોમાં ટ્રાફિક અને પ્રદૂષણની સમસ્યા નહીંવત છે તેથી રેસિડેન્શિયલ સહિતના પ્રોજેક્ટ માટે વધુ સાનુકૂળ છે
સંપત્તિ ટાઈમ્સ સાથેની વાતચીતમાં રાજકોટના રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટર પ્રદીપ વિઠ્ઠલપરાએ રાજકોટના રિયલ એસ્ટેટ બજાર અંગે રસપ્રદ મંતવ્યો વ્યક્ત કર્યા છે. તેમના મતે, આગામી સમયમાં કાલાવાડ રોડ અને અવધ રોડ જેવા વિસ્તારોમાં ફ્લેટ અને બંગલાની માંગમાં વધારો થશે.
પ્રદીપ વિઠ્ઠલપરાએ જણાવ્યું કે, લોકો હવે શહેરની ભાગદોડથી દૂર રહીને શાંતિ અને સુખ શોધી રહ્યા છે. આ કારણે જ તેઓ શહેરની બહારના વિસ્તારોમાં ઘર લેવાનું પસંદ કરી રહ્યા છે. અવધ રોડ પર આવેલા માઉન્ટ વ્યુ બંગલા આ માટે એક ઉત્તમ ઉદાહરણ છે.
પ્રદીપ વિઠ્ઠલપરાના મતે અવધ રોડ જેવા વિસ્તારોમાં ટ્રાફિક અને પ્રદૂષણની સમસ્યા નહીંવત છે અને આ વિસ્તારો હરિયાળીથી ભરપૂર છે. આવા વાતાવરણમાં રહેવાથી લોકો શાંતિ અને સુખનો અનુભવ કરી શકે છે. તેથી જ હાઈરાઇઝ બિલ્ડિંગ, બંગ્લોઝ, વિકેન્ડ વિલા સહિતના રેસિડેન્શિયલ પ્રોજેક્ટ માટે આવા વિસ્તારો વધુ સાનુકૂળ છે.
સંપત્તિ ટાઇમ્સનો નવો અંક(30-07-2024) પ્રસિદ્ધ થઇ ચુકયો છે, ઇ-પેપર વાંચવા-PDF Download કરવા માટે અહીંયા ક્લિક કરો :
👉 https://bit.ly/sampatti_times_30-07-2024