02/03/2025
ભાનુશાલી
ભાનુશાલી એટલે કોણ?
આપણે ભાનુશાલી ભાનુના વંશજ, સૂર્યના વંશજ છીએ. જે ભાનુ પોતાના શરીર ઉપર અપાર તાપ સહન કરી સમ્પૂર્ણ વિશ્વને પ્રકાશ આપે છે. સૂર્યનો ઉદય થયા પછી જ વિશ્વની ચકડોળ શરુ થાય છે અને અસ્ત પણ એટલા માટે જ થાય છે કે મનુષ્ય દિવસની દોડધામ થી થાકીને થોડોક આરામ લઈ શકે .
ભાનુ તો એ કુળ છે જેમાં પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા નાખુવા જેવા ભાનુશાલી ક્રાંતિકારી થયા જેઓ ભારતની સ્વાતંત્ર્યતા ચળવળના ઇતિહાસમાં એક ઊંચા અર્થમાં પ્રથમ ક્રમના સ્વાતંત્ર્ય સેનાની અને રાષ્ટ્ર માટે નિઃસ્વાર્થ સેવા આપનાર દેશભક્ત હતા.
ભાનુંકુળમાં જન્મ લઈને કુળને પાવન કર્યા એવા સંત શ્રી ઓધવરામના વંશજ છીએ .
મિત્રો ખરેખર ખુબ જ દુઃખ થાય છે કે જે મનુષ્યો પરિસ્થિતિઓથી ગભરાઈને આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવે છે. સુખ દુઃખ તો જીવનના બે પાસા છે. દરેક પરેશાનીનો ઉકેલ હોય જ છે . જીવનમાં થોડી ઘણી પરેશાનીઓ તો આવવાની જ છે એમાંથી ઘણીખરી તો આપણે પોતે જ ઉભી કરીએ છીએ અને એ પણ ખાસ કરીને દેખાદેખી થી.
આપણે આપણી પોતાની જીવનશૈલી બીજાને જોઇને જીવવાનો પ્રયત્ન કરીએ છીએ એના માટે આપણે અવળી લાઈન પર ચાલ્યા જઈએ છીએ અથવા તો ખોટા ધંધા કરી લોકોને છેતરવાનો પ્રયત્ન કરીએ છીએ જેનાથી આપણાં જીવનમાં પરેશાનીઓ ઉભી થાય છે.
શું આપણે એટલા કમજોર થઈ ગયા છીએ કે આવો રસ્તો અપનાવીએ ? આવા પગલાથી પ્રથમ જેને અસર થાય છે ઈ છે તમારો પરિવાર જેમાં તમારા માબાપ , ભાઈ બહેન , પત્ની, અને બાળકો હોય છે જેઓ તમારા ઉપર નિર્ભર હોય છે . તેઓની જિંદગી સાથે ખિલવાડ કરવાનો તમને કોઈ અધિકાર નથી, અધિકાર તો તમને તમારા મૃત્યુનો પણ નથી, પ્રભુએ તમને ફ્ક્ત જિંદગીને જીવવાનો હક આપ્યો છે એ પણ નિષ્કલંક .
આપણે નપુસંક નથી, મિત્રો ભાનુશાલીઓનો ખુમારી, ખંત અને બલીદાનના તો ઈતિહાસ છે. આપણામાં એટલી તાકત છે કે આપણે પહાડ ચીરીને પણ રસ્તો બનાવી લઈએ છીએ . ભાનુશાલી નામમાં જ એટલી તાકત છે એટલો જોમ છે .
જે મનુષ્ય દેહ મળ્યો છે તેનો આદર કરો, તેનો મુલ્ય સમજો .
જયારે પણ આવી કોઈ વિકટ પરિસ્થિતિ આપણી સમક્ષ આવે તો તેનો દઢથી મુકાબલો કરી એનો સામનો કરવાની હિમ્મત કરવી . છતાં પણ જો પરિસ્થિતિ ના ઉકેલાય તો અમારી પાસે આવો આપણે સાથે મળીને એનો ઉકેલ કાઢશું .
આ યુવા ધન સમાજનો ખજાનો છે , સમાજનો ભવિષ્ય છે તેનો વેડફાટ ના તેની આપણે કાળજી લઈએ અને સૌ સાથે મળીને આપણા સમાજને આગળ વધારીએ .
જય હિંગલાજ , જય ઓધવરામ , જય વાલરામ , જય માતૃસંસ્થા , જય ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા નાખુવા , જય ભાનુ ક્રાંતિ સેના